પ્રભુ શિવ ના કાળભૈરવ સ્વરૂપ થી તો આપણે સૌ ભલીભાતી પરિચિત છીએ તથા તેમની મહિમા તો જગજાણીતી છે. કહેવાય છે કે પ્રભુ ભૈરવ ના આર્શીવચન જેમને પ્રાપ્ત થઇ જાય તેમના જીવન મા સુખ , શાંતિ અને સમૃધ્ધિ નો નિવાસ થઇ જાય. તો ચાલો જાણીએ હાલ જ્યોતિષશાસ્ત્ર મુજબ કઇ રાશિ ના જાતકો ને ફળવા ના છે કાલભૈરવ ના આશીર્વાદ.

સિંહ :

આ રાશિ ના જાતકો પોતાના અથાગ પરિશ્રમ થી જે ધારે તે મેળવી શકશે. વાદ-વિવાદ થી દૂર રહેવુ. આ રાશિ જાતકો માટે પ્રેમ વિવાહ ના યોગ સર્જાય છે.વિદ્યાર્થીઓ એ પરીક્ષા મા સફળતા મેળવવા માટે થોડો વધુ પરિશ્રમ કરવો પડશે.

કન્યા :

આ રાશિ ના જાતકો માટે આવનાર સમય ખૂબ ફળદાયી છે. આ રાશિધારકો ને મહાદેવ ની કૃપા થી અણધાર્યું ધન મળવા ના યોગ સર્જાય છે. કોર્ટ – કચેરી ના કાર્ય મા સાવચેતી રાખવી. ઉતાવળિયા નિર્ણયો ના લેવા. કોઇપણ મહત્વ ના કાર્ય વિશે વડિલો સાથે વિચાર-વિમર્શ કરીને આગળ પગલું ભરવા મા આવે તો સફળતા નો સ્વાદ અવશ્ય ચાખવા મળશે.

મિથુન :

આ રાશિ ના જાતકો ને તેમના કાર્યસ્થળે પ્રતિષ્ઠા મળશે તથા કાર્યક્ષેત્ર મા ઉતરોતર પ્રગતિ થશે. કાળભૈરવ ના આર્શીવાદ થી આર્થિક પરિસ્થિતિ પણ મજબૂત બનશે. પરિવાર મા સુખ-શાંતિ ભર્યો માહોલ છવાઇ રહેશે. આમ આ રાશિઓ નું ભાગ્ય આવનાર સમય મા પ્રભુ ભોળાનાથ ના આર્શીવચન થી ચમકી જશે.